ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિશ્રી ડો.સંજીવભાઈ ઓઝાજીની શુભેચ્છા મુલાકાત

ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિશ્રી ડો. સંજીવભાઈ ઓઝાજી એ આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં માનનીય કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ ડો. સંજીવભાઈ ઓઝાજીને સુતરની આંટી, શ્રીમદ ભગવદ ગીતાજીનું પુસ્તક અને માતા સરસ્વતીજીની મૂર્તિ અર્પણ કરી આવકાર્યા હતા.


Published by: Office of the Vice Chancellor

28-03-2022